મુખ્યમંત્રી ટૂંકા ગાળાના રોજગાર અભ્યાસક્રમો હવે મહારાષ્ટ્રમાં અમલમાં મુકવામાં આવી રહ્યા છે. આ પહેલનો ઉદ્ઘાટન માનનીય પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીજી ૮ ઓક્ટોબર, ૨૦૨૫ના રોજ ઓનલાઈન કરશે. કૌશલ્ય, રોજગાર, ઉદ્યોગસાહસિકતા અને નવીનતા વિભાગના કેબિનેટ મંત્રી મંગલપ્રભાત લોઢાએ જણાવ્યું કે, રાજ્યભરના ૬૦૦ સ્થળોએ આ અભ્યાસક્રમોનું આયોજન થશે. આ પ્રસંગે વિશ્વકર્મા સમુદાયના કારીગરો અને પરંપરાગત કૌશલ્યના નિષ્ણાતો મુખ્ય અતિથિ તરીકે આમંત્રિત થશે.
આ અભ્યાસક્રમ હેઠળ રાજ્યની ૪૧૯ સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થાઓ (ITI) અને ૧૪૧ સરકારી ટેકનિકલ શાળાઓમાં કુલ ૨૫૦૬ એકમો શરૂ કરવામાં આવશે. પ્રથમ વર્ષમાં આ કાર્યક્રમથી ૭૫,૦૦૦ તાલીમાર્થીઓને રોજગારયોગ્ય કૌશલ્ય શીખવાશે. આગામી વર્ષથી આ સંખ્યા વધારીને એક લાખ વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવાનો લક્ષ્ય રાખવામાં આવ્યો છે.
કેબિનેટ મંત્રી લોઢાએ જણાવ્યું કે, “આ અભ્યાસક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોને ઉદ્યોગોની બદલાતી માંગ અનુસાર આધુનિક કૌશલ્ય આપવા અને તેમને આત્મનિર્ભર બનાવવાનો છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના યુવાઓ અને મહિલાઓને સ્થાનિક સ્તરે તાલીમ આપી સ્વરોજગારીના અવસર પૂરા પાડવામાં આવશે.”
પ્રવેશ પ્રક્રિયા અને પાત્રતા
પ્રવેશ પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન છે. રસ ધરાવતા ઉમેદવારોએ https://admission.dvet.gov.in પર નોંધણી કરાવવી પડશે. તાલીમ ફી રૂ. ૧,૦૦૦ થી રૂ. ૫,૦૦૦ પ્રતિ માસ રહેશે. ૨૫% બેઠકો સંસ્થાના વર્તમાન વિદ્યાર્થીઓ માટે અનામત છે, જ્યારે બાકીના બાહ્ય ઉમેદવારો માટે ખુલ્લા રહેશે. ITI ના વર્તમાન અને પાસ થયેલા વિદ્યાર્થીઓ, તેમજ ૧૦મું, ૧૨મું, ડિપ્લોમા અથવા ડિગ્રી ધરાવતા ઉમેદવારો આ અભ્યાસક્રમો માટે પાત્ર છે.
ઉભરતા ક્ષેત્રોમાં તાલીમ
આ અભ્યાસક્રમમાં આધુનિક ટેકનોલોજી જેવા વિષયોનો સમાવેશ થાય છે:
- એડિટિવ મેન્યુફેક્ચરિંગ
- ડ્રોન ટેકનોલોજી
- ઇલેક્ટ્રિક વાહનો
- સૌર ઉર્જા
- સાયબર સુરક્ષા
- IoT (Internet of Things)
- આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ
- ગ્રીન હાઇડ્રોજન
- મોબાઇલ રિપેર ટેકનિશિયન
- સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ
મહિલા ઉમેદવારો માટે ૩૬૪ ખાસ બેચ અને ઉभरતા ક્ષેત્રો માટે ૪૦૮ બેચ શરૂ કરવામાં આવશે. સ્થાનિક ઉદ્યોગની જરૂરિયાત મુજબ ગઢચિરોલી, લાતુર, નાગપુર અને અમરાવતીમાં ખાસ તાલીમ કેન્દ્રો શરૂ થશે. નાસિકમાં યોજાનાર કુંભ મેળાને ધ્યાનમાં રાખીને “વૈદિક સંસ્કાર જુનિયર આસિસ્ટન્ટ” અભ્યાસક્રમ પણ અમલમાં મુકવામાં આવશે
મંત્રી લોઢાએ જણાવ્યું કે, “કૌશલ્ય તાલીમ માત્ર રોજગાર સાધન નથી, પણ આત્મનિર્ભરતા તરફ દોરી જતી પરિવર્તન પ્રક્રિયા છે. મુખ્યમંત્રી ટૂંકા ગાળાના રોજગાર અભ્યાસક્રમો મહારાષ્ટ્રમાં કૌશલ્ય ક્ષેત્રના વિકાસ માટે નવો અધ્યાય લખશે.”
આ અભ્યાસક્રમ દ્વારા, વિદ્યાર્થીઓને નોકરી અને સ્વરોજગારી બંને માટે તૈયાર કરવામાં આવશે. સ્થાનિક સ્તરે તાલીમ અને સંસ્થાઓના IMCs દ્વારા નિયંત્રણ અને ગુણવત્તા જાળવવામાં આવશે.
વધુ માહિતી
- વેબસાઇટ: https://admission.dvet.gov.in
- સંપર્ક: નજીકની સરકારી ઔદ્યોગિક તાલીમ સંસ્થા અથવા ટેકનિકલ શાળા